Thursday, June 2, 2011

"ક્રુષ્ણાર્પણ"



શબ્દોના રંગબેરંગી તાણા વાણાને
એક બીજા જોડે ગુથી ગુથીને જે ગાલીચો બને
તેને કવિતા કહેવાય,
અને એ કવિતાઓ રચિયેતાને
આપણે કવિ તરીકે ઓળખીએ,
તો શું એ રંગબેરંગી શબ્દો એ માત્ર અને માત્ર
કવિઓની જાગીર છે?
શું તેના ઉપર તમારો અને મારો કોઈ હક્ક નથી?
મને ખબર નથી પડતી કે, એવું કયી રીતે બની શકે,
કોઈ પણ સાચું માને નહી તેવીજ વાત છે "ચિત",

હું રોજ રાતના અમુક શબ્દો આ ચોપડીમાં લખું છું,
સવાર થતા એ શબ્દો આપોઆપ એક બીજાની સાથે
જોડાઈ જાય છે...

"ક્રુષ્ણાર્પણ"

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment