Thursday, June 30, 2011

"વસ્ત્રાહરણ"



હે નાથ,
આખી સભા
નીરખે છે મને
એક વ્યંઢળ સરીખો રાક્ષસ
માત્ર નજરોથીજ મારૂ
વસ્ત્રાહરણ કરે છે,
છતા બધા ચુપ છે,
મારા પ્રાણથી પ્રિય કેશમાં
બાંધીને મને ખેંચે છે,
શું તું પણ ચુપ છે?

સખા વ્હારે આવ મારી
અબ ઘડી,
પ્રગટ થા મુજ માથી...

"ચિંતન ટેલર"

No comments:

Post a Comment